બાડમેરમાં INDIA ગઠબંધન પર PM મોદીએ કર્યા પ્રહારો: પરમાણુ હથિયાર ખત્મ કરીને દેશને શક્તિવિહોણો બનાવવો છે...
- 12 Apr, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાડમેર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું અને ઈન્ડિયા ગઠબંધનના ઘોષણાપત્ર પર પણ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો દેશમાંથી પરમાણુ હથિયાર ખત્મ કરવા માંગે છે. તેમણે કહ્યું કે હું પુછવા માંગું છું કે તમે કોના ઈશારા પર કામ કરી રહ્યાં છો, જે ભારતને શક્તિવિહોણું કરવા માંગે છે તેના ઈશારા પર. અંતે કોના દબાણથી તમારું ગઠબંધન આપણી પરમાણુ તાકાતને ખત્મ કરવા માંગે છે.
પીએમ મોદીએ શુક્રવારે બીજી ચૂંટણી રેલી રાજસ્થાનના બાડમેરમાં કરી હતી. રાજસ્થાનના બાડમેરમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં વિભાજન માટે જવાબદાર એવી મુસ્લિમ લીગની છાપ છે. વધુ એક પાર્ટી જે ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે, તેણે તેના ઘોષણાપત્રમાં દેશની વિરુદ્ધ ખતરનાક ઘોષણા કરી છે કે તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે. જ્યારે આપણા બે પાડોશી પરમાણુ હથિયારોથી સજ્જ છે, તેવા સંજોગોમાં શું આપણે આપણા પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેવા જોઈએ? આ એવું ગઠબંધન છે, જે ભારતને શક્તિહીન બનાવવા માંગે છે.
પીએમ મોદીએ જનસભામાં સવાલ કરતા કહ્યું કે તમારા સાથીઓ અંતે કોના ઈશારા પર કામ કરી રહ્યાં છે. આ કેવું ગઠબંધન છે. તેમણે મંચ પરથી કહ્યું કે દેશમાં રામ મંદિર નિર્માણનું સારું કામ થઈ રહ્યું છે, કોંગ્રેસ તેનો પણ બાહિષ્કાર કરી રહી છે. કોંગ્રેસ રામનવમીની શોભયાત્રા પર રાજસ્થાનમાં પથ્થરબાજી કરનારા તોફાનીઓને સંરક્ષણ આપે છે. દેશમાં ઘુસણખોરો આવે છે તો કોંગ્રેસ તેમનું સ્વાગત કરે છે. જોકે ભારત વિભાજનનો વિરોધ કરનારા આપણા દલિત અને શીખ ભાઈ બહેનોને નાગરિકતા આપનારા CAAનો તેઓ વિરોધ કરી રહ્યાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ